ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના દિવ્ય ઉપદેશો (Bhagavan Sri Chaitanya Mahaprabhu na Divya Upadesho)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણભાવનાનું પરમ પૂર્ણ વિજ્ઞાન શીખવે છે. શુષ્ક તર્કવાદીઓ પોતાની જાતને ભૌતિક આસક્તિથી બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે મનને વશમાં કરવું બહુ અઘરૂં છે અને તે તેમને ફરીથી ઇન્દ્રિયભોગોના કાર્યોમાં ખેંચી જાય છે. પરંતુ કૃષ્ણભાવનામાં લાગેલા ભક્ત માટે આ બાબતનું જોખમ રહેતું નથી. મનુષ્યે પોતાની મન અને ઇન્દ્રિઓને કૃષ્ણભાવનાની પ્રવૃત્તિઓમાં લગાડવાનાં છે અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવે છે કે વ્યવહારમાં આ કેવી રીતે કરવું. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ૫૦૦વર્ષ પૂર્વે બંગાળમાં પ્રગટ થયેલા કૃષ્ણના અવતાર છે, જેમણે કળિયુગ માટેના યુગધર્મ ભગવાનના પવિત્ર નામોના સામૂહિક કીર્તન અર્થાત્ સંકીર્તન આંદોલનનો સૂત્રપાત કર્યો.
Sample Audio